ભારત સરકારે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની દેશમાં એન્ટ્રી વધુ મુશ્કેલ બનાવી દીધી છે. અહેવાલ છે કે મોદી સરકારે મસ્કની તે માંગને ઠુકરાવી દીધી છે, જેમાં ટેસ્લાને આયાત ડ્યૂટી માફ કરવા અથવા વાહન પરના ટેક્સને અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરવા કહેવામાં આવ્યું હતું. સરકારનું કહેવું છે કે અમારા નિયમો પહેલાથી જ મંજૂરી આપે છે કે ઉત્પાદકો આંશિક રીતે બનાવેલા વાહનોને દેશમાં લાવી શકે છે અને સ્થાનિક ટેક્સની ચુકવણી પર તેને એસેમ્બલ કરી શકે છે.
ટેસ્લાને કરમુક્તિ ન આપવાના પ્રશ્ન પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીડીટી)ના અધ્યક્ષ વિવેક જોહરીએ જણાવ્યું હતું કે, અમે આયાત ડ્યુટીમાં ફેરફાર કરવાના મુદ્દા પર વિચાર કર્યો છે, પરંતુ દેશ પહેલેથી જ સ્થાનિક ઉત્પાદન અને વર્તમાન આયાત.” ડ્યુટી માળખું હોવા છતાં, દેશમાં રોકાણોનો પ્રવાહ ચાલુ રહે છે. એટલે કે, તે સ્પષ્ટ છે કે આયાત શુલ્ક અવરોધ નથી.”
ટેસ્લા શું ઈચ્છે છે?
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ટેસ્લાને ભારત આવવા અને તેનું ઉત્પાદન કરવા આમંત્રણ આપ્યું છે. બીજી તરફ એલોન મસ્ક ઈચ્છે છે કે ભારત તેમની કંપનીની ઈલેક્ટ્રિક કારને બહારથી આયાત કરવાની મંજૂરી આપે, જેથી ટેસ્લા તેના પ્રથમ કેટલાક વિદેશી બનાવટના વાહનોને સ્પર્ધાત્મક ભાવે બજારમાં વેચી શકે.
શું સમસ્યા છે?
જો કે, સરકાર બહારથી આયાત થતા વાહનો પર ભારે આયાત જકાત લાદે છે. આ સિવાય જો કોઈ કંપની વાહનના અલગ-અલગ પાર્ટ્સ લાવવા અને તેને દેશમાં એસેમ્બલ કરવા માંગે છે તો પણ તેના પર 15-30 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે.

Comments are closed.